:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા

top-news
  • 26 Jul, 2024

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1292.92 અંક વધી 81332.72 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 428.75 અંક વધી 24834.85 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 4.25 ટકા વધી 1511.00 પર બંધ રહ્યો હતો. વિપ્રો 3.57 ટકા વધી 524.90 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી, ટાટા કોન્સ.પ્રોડ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી 1.25 ટકા ઘટી 331.60 પર બંધ રહ્યો છે. ટાટા કોન્સ.પ્રોર્ડ 0.81 ટકા ઘટી 1213.65 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.15 ટકા ઘટી 2476.90 પર બંધ રહ્યો હતો. 

ભારતીય શેરબજારમાં આ ઉછાળો IT સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદીને કારણે આવ્યો છે. એનર્જી સેક્ટરના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મિડકેપ શેરો પણ તેજ દેખાઈ રહ્યા હતા અને નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1000થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ સેન્સેક્સ 1184 પોઈન્ટના ઉછાળા સાથે 81,227 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 390 પોઈન્ટના ઉછાળા સાથે 24801 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.


ભારતીય શેરબજારમાં શાનદાર ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 456.85 લાખ કરોડે પહોંચ્યું હતું, જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 449.82 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં બજારના ઉછાળાને કારણે માર્કેટ કેપમાં રૂ. 7.03 લાખ કરોડનો વધારો થયો છે.